CHINTAN SAMVEDANA

338 375 (10% Off)
Name: ચિંતન સંવેદના
SKU Code: 10269
Weigth (gms): 350
Year: 2022
Pages: 298
ISBN: 9789395339315
Availability: In Stock

ચિંતન સંવેદના

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

કૃષ્ણકાંત ઉનડકટ ‘સંદેશ’માં એક્ઝિક્યૂટિવ એડિટર છે. 36 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય તેમણે અગાઉ ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘અભિયાન’માં એડિટર તરીકે અને ‘ચિત્રલેખા’ અને ‘સમકાલીન’ જેવાં માધ્યમોમાં મહત્ત્વના હોદ્દા પર ફરજ અદા કરી છે. તેઓનું આ 22મું પુસ્તક છે. તેમની ખૂબ જ લોકપ્રિય કૉલમ ‘ચિંતનની પળે’ના ચુનંદા લેખોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. બી.કોમ., એલએલ.બી. અને માસ્ટર ઑફ જર્નાલિઝમનો અભ્યાસ કરનાર તેમણે આઇઆઇએમ, ઇન્દોરમાં પત્રકારત્વની વિશેષ તાલીમ લીધી છે. સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ઍવૉર્ડ ફૉર જર્નાલિઝમ સહિત અનેક ઍવૉર્ડ તેમને મળ્યા છે. ‘સંદેશ’ની રવિવારની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી તેમની ‘ચિંતનની પળે’ કૉલમ અને બુધવારની ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિમાં પ્રસિદ્ધ થતી ‘દૂરબીન’ કૉલમ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ‘સંદેશ’માં તેઓ સાંપ્રત ઘટનાઓ વિશે ડેઇલી કૉલમ ‘એક્સ્ટ્રા કોમેન્ટ’ પણ લખે છે. મોટિવેશન સ્પીકર અને ટેલિવિઝન ડિબેટમાં રાજકીય વિશ્લેષક તરીકે પણ તેઓ જાણીતા છે. તેમના લેખોમાં જિંદગી, પ્રેમ, સંવેદના, સંબંધો, સંવાદ અને સહજતા સહિતના માનવીય મૂલ્યો ઉજાગર થાય છે. તેમના લેખોમાં માનવીય સંવેદનાઓને સજીવન અને સક્રિય બનાવી દેવાની અનોખી ક્ષમતા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત